વિદ્યાવિહારનો વાર્ષિક રમતોત્સવ
વિદ્યાવિહારનો વાર્ષિક રમતોત્સવ
તા: ૧૬.૧૨.૨૦૧૭
શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૧૮નો વિદ્યાવિહારનો વાર્ષિક રમતોત્સવ તા: ૧૬.૧૨.૨૦૧૭ના દિવસે યોજાઇ ગયો.આ રમતોત્સવમાં વર્ષ ૨૦૧૭-૧૮ દરમ્યાન વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં મેળવેલી સિદ્ધિઓને પૂર્વ કોચ શ્રી સુમેરસિંઘ અને વિદ્યાવિહારના નિયામક ડો. કિરીટ જોષી દ્વારા પુરસ્કૃત કરવામાં આવી હતી. અને આંતર ગૃહ યોજના પ્રમાણે ગૃહ વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા. વિદ્યાવિહારનો આ સંયુક્ત રમતોત્સવ હોઇ બધીજ સંસ્થાના વિદ્યાર્થીઓએ આમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમજ વિવિધ રમતો તેમજ અંગ કરતબથી ઉપસ્થિત મહેમાનોની પ્રસંશા મેળવી હતી.